સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

ભાયાવદરમાં ૨૪ કલાકમાં ૨૧ ઈંચ

ભાયાવદરઃ ભાયાવદર સહિતના ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદ સાથે ભાયાવદરમાં ૨૧ ઈંચ વરસાદથી આજુબાજુના વડાળી ૧૯, થીરસરા ઘેટીયા ૨૦, અરણી ૨૧, સાજડીયાળી ૨૦ વરસાદથી મોજ ડેમ ભરાઈ ગયો હતો અને મોજ ડેમનું પાણી જલારામ મંદિર સુધી પાંચ - પાંચ ફુટ આવી જતા ઉપલેટા રોડ બંધ થઈ ગયો હતો. રૂપાવટી નદીનું પાણી સેલ વિસ્તારમાં ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા હતા. મોજ ડેમના ૨૭ પાટીયા ૮ ફૂટ ખોલાયા હતા. ઠેર ઠેર શહેરના રસ્તાઓ ધોવાઈ ગયા છે. નગરપાલિકાના પ્રમુખ નયન જીવાણીની ટીમ શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરીને લોકોને સાવધાન કરેલ હતા. વરસાદથી ખેતરોમાં ધોવાણ થઈ ગયા છે અને લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થઈ ગયુ છે.

(1:12 pm IST)