સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 15th September 2019

સુરેન્દ્રનગરના બે વેપારીના શોરૂમમાં ઇન્કમટેકસનુ સર્ચ

વઢવાણઃ  સુરેન્દ્રનગરમાં  વિઠલ પ્રેસ રોડ પર આવેલા બે સોની વેપારીના શોરૂમમાં આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા  દરોડા પાડવામા  આવ્યા હતા જેના પગલે અન્ય વેપારીઓ દુકાનો બંધ કરી જતા રહ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે વિઠલપ્રેસ રોડ પર આવેલા સોના ચાંદીના બે શોરૂમમાં આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા દરોડાઓ પાડવામાં આવ્યા હતા જો કે આ મામલે અધિકારીઓ દ્વારા સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હોય કોઇ વિગતો જણાવવાાં આવી નહોતી. દરોડાની કામગીરી બે દિવસે પુર્ણ કરવામાં આવી હતી. નવરાત્રિ,દિવાળીના તહેવાર પહેલા આયકરના દરોડાથી વેપારીઓમાં ફફડાટ ફલાયો છે.

(12:36 pm IST)