સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th September 2018

સોમવારે નરેન્દ્રભાઇના જન્મદિને શ્રી સોમનાથ મહાદેવને વિશેષ મહાપૂજા

પ્રભાસ-પાટણ તા. ૧પઃ ભારત દેશના વડાપ્રધાન અને સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના માનદ્ ટ્રસ્ટી નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિન ૧૭ સપ્ટેમ્બરે તેમના જન્મદિન પ્રસંગે સોમનાથ મહાદેવને વિશેષ મહાપૂજા, માર્કન્ડેય પૂજા તેમજ દીર્ઘ આયુષ્ય મંત્રજાપ તથા સોમનાથ ટ્રસ્ટ તરફથી તેમજ શુભેચ્છકો તરફથી શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ સોમનાથ મહાદેવ મંદિર-સોમનાથ ખાતે યોજાનાર છે. આ અંગે આયોજન થઇ રહ્યું છે. (૭.ર૩)

(12:35 pm IST)