સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

જામનગરમાં જગ્યા ખાલી કરાવવા માર મારીને દબાણ કરતા પોલીસ ફરિયાદ

જામનગર તા. ૨૪ : અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દેવાભાઈ રાજાભાઈ પારીયા એ ફરીયાદ નોંધાવી છે કે , તા.૧૩–૦૯–ર૦૧૮ના નવા રેલ્વે સ્ટેશન સામે, આ કામના ફરીયાદી દેવાભાઈ પોતાના પરિવાર સાથે જયા રહી ધંધો કરે છે તે જગ્યા આ કામના આરોપી પક્ષના ચાંદનીબેન રાજેશભાઈ દતાણી પાસેથી આશરે દશેક વર્ષ પહેલા ભાડેથી રાખેલ છે જે અંગે આ કામના આરોપી કમલેશભાઈ નરોતમભાઈ દતાણી, કિશન કમલેશભાઈ દતાણી, મહેન્દ્રભાઈ નરોતમભાઈ દતાણી, દિનેશ નરોતમભાઈ દતાણી રે. જામનગરવાળા ઓ ભાડા ચીઠ્ઠી આપતા નથી આ જગ્યા અંગે નામદાર કોર્ટમાં દાવો ચાલુ હોવા છતા આ કામના આરોપીઓ કમલેશભાઈ નરોતમભાઈ દતાણી, કિશન કમલેશભાઈ દતાણી, મહેન્દ્રભાઈ નરોતમભાઈ દતાણી, દિનેશ નરોતમભાઈ દતાણી એ સને ર૦૧૪ માં ફરીયાદી દેવાભાઈને માર મારેલ હતો જે ફોજદારી કેસ ચાલુ હોય આજરોજ ફરીથી આ કામના ચારેય આરોપીઓ ગુન્હીત કાવતરું રચી ફરીયાદી દેવાભાઈને માર મારી વાસામાં મુંઢ ઈજા તથા ડાબા પગમા સાથળ અને ગોઠણ વચ્ચે છરીનો ઘા તથા માથામા છરાનો ઘા કરી ઈજા કરતા બન્ને જગ્યા ત્રણ ત્રણ ટાકા આવેલ હોય તેમજ જગ્યા ખાલી કરી દેવા દબાણ કરી પતાવી દેવાની ધમકી આપી જાહેરમાં એકબીજાઓએ ગુન્હા હીત કાવતરાના ભાગરૂપે હથીયારો સાથે ગુન્હો કરી જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ જામનગરના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

પરણિતા ઉપર સાસરીયાઓનો ત્રાસ

અહીં મહિલા પોલીસ સ્ટેશનમાં ચેતનાબેન ઘનશ્યામભાઈ કેશુભાઈ પ્રાગડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭–ર–ર૦૦૭ ના બે વર્ષ બાદ થી આજદિન સુધી અવાર નવાર આ કામના આરોપીઓ પતિ–ઘનશ્યામભાઈ કેશુભાઈ પ્રાગડા, સસરા– કેશુભાઈ લાલજીભાઈ પ્રાગડા, સાસુ– ઉર્મીલાબેન કેશુભાઈ પ્રાગડા, રે. જામનગરવાળાઓ આ કામના ફરીયાદી ચેતનાબેનના લગ્ન જીવન દરમ્યાન ઘરના કામ કાજ બાબતે તેમજ રસોઈ બાબતે વાંક કાઢી મેણાટોણા મારતા હોય તેનો પતિ ઘનશ્યામભાઈ ફરીયાદી ચેતનાબેનને ચારીત્ર્ય બાબતે શંકા કુ શંકાઓ કરી મારકુટ કરી ગાળો કાઢી શારીરીક તથા માનસીક દુઃખ ત્રાસ આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

પથરીના દુઃખાવાથી કંટાળી જઇ ગળાફાંસો

અહીં નાગનાથ ગેટ, જૂનો કુંભારવાડામાં રહેતા વિજયભાઈ બાબુલાલ મકવાણા એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૩–૦૯–ર૦૧૮ના આ કામે મરણ જનાર બાબાલાલ બચુભાઈ મકવાણા, ઉ.વ.૪૬, રે. નાગનાથ ગેઈટ , જૂનો કુંભારવાડો, ચંપાકુજની બાજુમાં, જામનગરવાળા ઘણા વર્ષો પહેલા ગળાના કાકડાનું તથા પથરીનું ઓપરેશન કરાવેલ હોય અને દુઃખાવો સતત રહેતો હોય જેના કારણે કંટાળી જઈ ગળાફાંસો ખાઈ  લેતા મરણ ગયેલ છે.

ધ્રોલમાં સગીરાનું અપહરણ કર્યાની રાવ

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, તા.૯–૯–ર૦૧૮ના ગાંધીચોક, ધ્રોલમાં આ કામના આરોપી કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ફરીયાદીના વાલીપણા માંથી તેની સગીરવયની  દિકરીનું કોઈપણ કારણોસર અપહરણ કરી લઈ જઈ ગુનો કરેલ છે.

(3:44 pm IST)