સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

જામનગરમાં પિતાને કાંધ આપતી પુત્રીઓ

સુરેન્દ્રનગર-જામનગર, તા., ૧૪: ઇન્દીરાનગર સોસાયટી જુના રેલ્વે સ્ટેશન પાછળ નવા ઘેડ પાસે રહેતા રણછોડ સુંદરજી કવૈયા જેઓ ૮પ વર્ષની ઉંમરે અવસાન પામતા તેઓની સાત દીકરીઓ હતી. દીકરા ન હતા.

પોતાના પિતા મૃત્યુ પામતા તેઓને સગી દીકરોઓએ કાંધ આપી સ્મશાન યાત્રામાં જોડાઇ અંતિમવિધી દીકરીઓએ કરી હતી. તેમાં એક દીકરીએ દોણી ઉપાડી બાપને સ્મશાન સુધી પહોંચાડીને આજના દીકરાઓ કરતા વિશેષ દીકરીઓ હોય છે તેવું અનુભવી રહયું છે. આ સ્મશાન યાત્રામાં જમાઇઓ, જ્ઞાતિબંધુઓ અગ્રણી આગેવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. (અશોક રાઠોડ દ્વારા)

(3:41 pm IST)