સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે ગણેશ મહોત્સવ

જસદણ : શ્રી ઘેલા સોમનાથ મંદિરે ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપના જીતુભાઇ રાઠોડ (મામલતદાર કચેરી, જસદણ) જીલુ ભગત કંધેવાળીયા સવસીભાઇ રબારી તરફથી ગણેશ ઉત્સવ તા. ર૧ સુધી ઉજવાશે. મૂર્તિ વિસર્જન કરવામાં આવશે. આ ઉત્સવમાં કમીટીના સભ્ય શ્રી સોમગરભાઇ ગોસાઇ, અનિલભાઇ મકાણી, ચંદુભાઇ માઢક, વહીવટદાર મનુભાઇ શીલુ, નાયબ મામલતદાર પી. એમ. ભેંસાણીયા, બળવંતભાઇ શુકલ (શુકલદાદા), હસમુખભાઇ જોષી, વિક્રમગીરી તેમજ મેનેજર વિરગરભાઇ ગોસાઇ, પરેશભાઇ ગરણીયા તથા દિલીપભાઇ શીલુ, યતિન્દ્રભાઇ શીલુ, દિક્ષીતગીરી ગોસાઇ વિગેરે જોડાયા હતાં. હજારો ભાવિકોએ દર્શનનો લાભ લીધેલ, તથા ૩૦૦ થી ૪૦૦ દર્શનાર્થીઓએ શ્રી ઘેલા સોમનાથ દાદાના ભોજન પ્રસાદનો લાભ લીધેલ, તથા ભોજન પ્રસાદ તથા મંદિર વ્યવસ્થામાં મંદિરના વહીવટદાર મનુભાઇ શીલુ તથા મેનેજર વિરગીરીભાઇ ગોસાઇ તથા પરેશભાઇ ગરણીયાએ વ્યવસ્થા ગોઠવી હતી. (તસ્વીર - અહેવાલ : ધર્મેશ કલ્યાણી, હુસામુદીન કપાસી -જસદણ)

(12:37 pm IST)