News of Friday, 14th September 2018
સોમનાથમાં ૧ર નાળીયેરમાં ગણેશજીની પ્રતિમા જોવા મળી સોમનાથમાં ગણેશજીનું સ્થાપન કરાયુ છે ત્યા શ્રીફળ મુકાશે
પ્રભાસ પાટણ તા. ૧૪ :.. સોમનાથ ત્રિવેણી સંગમ કિનારે ધંધો કરતા નાથાભાઇ રાજાભાઇ બામણીયાની ત્યાં એકી સાથે ૧ર નાળીયેરમાં ભગવાન ગણેશની પ્રતિમાં નજરે પડતા લોકોમાં કુતુહલ છવાયું છે.
આ બાબતે નાથાભાઇ બામણીયાએ જણાવેલ કે જયારે મારી રેંકડીએ બગીચામાંથી નાળીયેર આવેલ ત્યારે ૧ર નાળીયેરની લુંબ માં ગણેશની પ્રતિમા નજરે પડતા તેને વેચવાને બદલે બાજુમાં રાખી દીધેલ અને આ નાળીયેરમાંથી ત્યાં આવેલ એક શ્રધ્ધાળુએ એક નાળીયેરના ૧૦પ૧ આપવા કહેલ પરંતુ મે નકકી કરેલ છે કે આ ૧ર ગણેશજીની પ્રતિમા વાળા નાળીયેર વેચવાને બદલે સોમનાથમાં જયાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થયેલ તે દરેક જગ્યાએ એક-એક ગણેશજીની પ્રતિમાં વાળુ નાળીયેર અર્પણ કરવાનું નકકી કરેલ છે. (પ-૧૩)
(12:26 pm IST)