સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

ભાવનગરના ટીંબીની સ્વામીશ્રી નિર્દોષાનંદનજી હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓ માટે ધાર્મિક યાત્રા

ભાવનગર-ઇશ્વરીયા : જીલ્લાના ટીંબીમાં આવેલ સ્વામીશ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલના તમામ ડોકટરશ્રીઓ તેમજ બધા જ વિભાગના ૧રપ કર્મચારી ભાઇઓ-બહેનોને ડો. નટુભાઇ રાજપરા અને રિદ્ધિ રીર્ચટર-અમદાવાદના આર્થિક સહયોગથી દ્વારકા, સોમનાથ અને જુનાગઢ (ગીરનાર)ના બે દિવસીય પ્રવાનું આયોજન કરવામાં આવેલ. દ્વારકા મુકામે લેઉઆ પટેલ સમાજ ભવનના પ્રમુખ અને હોસ્પિટલના દાતા મનસુખભાઇ દેવાણી (રાણસીકીવાળા), શાંતિ કન્સ્ટ્રકશન જામનગર તરફથી રહેવા-જમવાની તમામ સુવિધા કરવામાં આવેલ. સોમનાથ મહાદેવના દર્શન કરી રાત્રી રોકાણ સોમનાથ ગેસ્ટ હાઉસમાં કર્યું હતું. બીજા દિવસે ગીરનાર તળેટીમાં બપોરે મહામંડલેશ્વર શ્રી ભારતી બાપુ (ભારતી આશ્રમ, જુનાગઢ)માં બપોરના ભોજનની સુંદર રીતે વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમનું આયોજન કરવા હોસ્પિટલના તમામ કર્મચારી ભાઇઓ-બહેનોએ ડો. નટુભાઇ રાજપરા, રિદ્ધિ રીર્યટર તથા મનસુખભાઇ દેવાણીનો આભાર વ્યકત કરેલ છે. (૮.૪)

(12:10 pm IST)