સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 14th September 2018

ગણેશ ચતુર્થીએ રાજુલા પંથકમાં વરસાદી ઝાપટા :ખેડૂતોમાં ખુશીનો માહોલ

કાગવદર લોઠપુર વડ હિડોરણા સહીતના ગામોમા વરૂણ દેવતાના આગમન

રાજુલાના આસપાસના વિસ્તારના ગામડાઓમાં વહેલી સવારથી જ વરસાદી ઝાપટા પડવા શરૂ થઇ ગયા છે. ગણેશ ચતુર્થીના પાવન અવસરે વરસાદના આગમને લોકોને ખુશ કરી દીધા હતા. ગણપતિ બાપા સાથે વરૂણ દેવતાના આગમનને પણ લોકોએ હર્ષોલ્લાસથી વધાવી લીધુ હતું. કાગવદર લોઠપુર વડ હિડોરણા સહીતના ગામોમા વરસાદી ઝાપટાએ પોતાની હાજરી દર્શાવી છે. લાંબા સમય બાદના વરસાદથી  ખેડુતોમાં ખુશી જોવા મળી છે.

(7:41 pm IST)