સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th August 2020

રાજ્યના સૌથી ઊંચા ગોરખનાથ શિખર (ગિરનાર) પર્વત પર રાષ્ટ્રધ્વજ લહેરાવાયો

શહીદોની યાદમાં અમર જવાન ચેરી, ટ્રસ્ટ માનપુર દ્વારા ધ્વજવંદન કરાયું

જૂનાગઢ : આજે 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ  નિમિત્તે ગુજરાત રાજયના સૌથી ઉંચા ગોરખનાથ શીખર (ગિરનાર) પર્વત કે જેની ઉચાય 1117 મીટર  છે  તે સ્થાન પર શહીદોની યાદમાં  અમર જવાન ચેરીટેબલ ટ્રસ્ટ માનપુર  દ્વારા રાષ્ટ્ર ધ્વજને માનભેર લહેરાવવામા આવેલ હતો આ કાર્યક્રમમાં પ્રમુખ  અમર ડોબરીયા, જય ગઢીયા, મયુર દુધાત , યશ ડોબરીયા  રવિ જાદવ , સાગર દેગામા, ભવ્ય ભાઈ તેમજ સાથી  મીત્રો હજાર રહયા હતા.

(10:50 am IST)