સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th August 2020

પોરબંદરના કુતિયાણાના મૈયારી ગામના કોંગ્રેસ આગેવાન ;પર જીવલેણ હુમલો : આરોપીની ધરપકડ નહિ કરાય તો ઉપવાસ આંદોલનની ચીમકી

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના મૈંયારી ગામમાં  કોંગ્રેસ આગેવાન કેશુભાઈ પરમાર પર અસામાજિક તત્વો  અને રાજકીય ઓથ ધરાવનાર દ્વારા જીવલેણ હુમલો થયો છે. તેને ૨૪ કલાક થય ગયા હોવા છતાં કોઈ પણ આરોપીની ધરપકડ હજી સુધી થઈ નથી. અને હુમલો કરનાર માંથી એક આરોપી  સિવિલ હોસ્પિટલની અંદર જ્યાં કેશુભાઈ પરમારની સારવાર ચાલુ છે ત્યાં દાખલ થયેલ હોય ત્યારે પોલીસ અને હુમલો કરાવનાર રાજકીય ઓથ ધરાવનારાઓ પોલીસ તપાસ અધિકારીની સાથે હોસ્પિટલ ની નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં મીટીંગ થયાની ચર્ચા વચ્ચે  ન્યાય ની અપેક્ષા કેમ રાખવી ? તેવા સવાલ ઉઠી રહ્યા છે

     આગામી૨૪ કલાકની અંદર આરોપીઓ ની ધરપકડ નહિ થાય તો ડીએસપી ઓફીસની સામે જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને કોંગ્રેસ ના આગેવાનો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

(10:03 am IST)