News of Wednesday, 15th July 2020
પોરબંદરમાં સાંજે ૪ પછી સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયનો ફિયાસ્કોઃ સાંજે ૪ સુધી દુકાન ખુલી રાખવામાં સંમતિ ન સધાય દુકાનો ૮ સુધી ખુલી રહી
પોરબંદરઃ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે જાગૃતતા માટે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો વેપારીઓની બેઠકમાં સાંજે ૪-૦૦ સુધીજ વેપારીઓની દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લેવાયો હતો.
એશો.ના આ નિર્ણયનો વેપારીઓ વચ્ચે સહમતી ન સધાતા તમામ દુકાનો સાંજે ૮ સુધી નિયમીત ચાલુ રહી હતી. ઘણા બધા વેપારીઓએ આખા શહેરમાં અમલ કરાવવાની વાત કરતા સહમતિ સધાઇ ન હતી.
(11:40 pm IST)