જુનાગઢમાં રાત્રે છરીનો એક જ ઘા ઝીંકીને યુવાનની હત્યા
દારૂની બોટલના પ્રશ્ને માથાકુટ થતા પિતરાઇ ભાઇનું ખુન
જુનાગઢમાં યુવકની હત્યાથી અરેરાટી : જુનાગઢઃ જુનાગઢનાં જોષીપુરા વિસ્તારમાં દારૂની બોટલના પ્રશ્ને પિતરાઇભાઇ તૌફીક અલીભાઇ છોટીયારા રીઝવાન હસને હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. પ્રથમ તસ્વીરમાં મૃતકનો ફાઇલ ફોટો તથા અન્ય તસ્વીરોમાં ઘટનાસ્થળ નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)
જુનાગઢ તા. ૧પ :.. જુનાગઢમાં રાત્રે છરીનો એક જ ઘા ઝીંકીને યુવાનની હત્યા થતાં સનસનાટી મચી ગઇ હતી.
દારૂની બોટલનાં પ્રશ્ને માથાકુટ થતાં પિતરાઇ ભાઇનો જીવ ગુમાવવો પડયો હતો.
હત્યાનાં બનાવની પ્રાપ્ત વિગતો એવી છે કે, જુનાગઢનાં જોશીપુરાનાં નંદનવન મેઇન રોડ વિસ્તારમાં રહેતા પિતરાઇ ભાઇઓ તૌફિક અલીભાઇ છોટીયારા (ઉ.ર૯) અને રીઝવાન હસનને રાત્રે બે વાગ્યે દારૂની બોટલનાં પ્રશ્ને માથાકુટ થયેલ.
આ બંને સાથે દારૂની બોટલ લેવા ગયા હતાં. પરંતુ પસંદગીની દારૂની બોટલને બીજી બોટલ આવતાં રીજવાન ઉશ્કેરાઇ ગયો હતો. અને છરીનો એક જ ઘા તૌફીકને છાતીના ભાગે ઝીંકી દેતા તે લોહી લોહાણા થઇ ગયો હતો.
આમ દારૂની બોટલને લઇ રીઝવાને તેના જ પિતરાઇ ભાઇ તૌફીકની હત્યા કરી નાખતા સનસની મચી ગઇ હતી.
આ અંગેની જાણ થતાં ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ બી. ડીવીઝનના પી.આઇ. આર. બી. સોલંકી તેમજ પીએસઆઇ વી. કે. ડાકી વગેરે દોડી ગયા હતાં.
આ અંગે મૃતકનાં પિતા અલીભાઇ ઉમરભાઇ છોટીવારાની ફરીયાદ લઇ બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી. આઇ. સોલંકી ચલાવી રહ્યા છે.