સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th June 2019

ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું પ્રેરક કાર્યઃ સોમનાથદાદાની પુજા સાથે આભાર : અધિકારીઓનું અભિવાદન

રાજકોટ : સોૈરાષ્ટ્રમાં વાવાઝોડાની પરિસ્થિતી વખતે શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અધિકારીઓ અને પદાધિકારીઓને સાથે રાખીને વેરાવળમાં મોરચો સંભાળેલ. કુદરતની કૃપાથી વાવાઝોડાની ઘાત ટળી ગઇ અને વેરાવળ વિસ્તારમાં સદનસીબે એક પણ જાનહાની થઇ નથી. પરિસ્થિતી પુર્વવત થતાં શ્રી ચુડાસમાએ પદાધિકારીઓ અને અધિકારીઓને સાથે રાખીને સોમનાથ મહાદેવના દર્શન કરી પુજા કરવા સાથે આભાર માનેલ,તેમણે બચાવ રાહતની આગોતરી વ્યવસ્થામાં સહયોગી બનેલા સોમનાથ ટ્રસ્ટ અને ટ્રસ્ટના ચેરમેન કેશુભાઇ પટેલનો પણ આભાર માનેલ. કુદરતી આપતિના સંજોગોમાં રાત-દિ જોયા વગર ફરજ બજાવનાર વહીવટી તંત્રને પ્રોત્સાહિત કરવા તેમણે અધિકારીઓનું પણ અભિવાદન કર્યુ હતું

(3:58 pm IST)