News of Saturday, 15th June 2019
તરઘડીયા, સરપદડ અને ઠીકરીયાળામાં ફિનાઇલ અને ઝેર પીવાના ત્રણ બનાવ
રાજકોટ તા. ૧૫: તાલુકાના તરઘડીયા ગામે રહેતી ખુશીબેન યોગેશ રાઠોડ (ઉ.૨૭) કીડા મારવાની દવા પી જતાં સિવિલમાં ખસેડાઇ હતી. લગ્ન આઠ વર્ષ પહેલા થયા છે. તેણીને બે સંતાન છે. બીજા બનાવમાં પડધરીના સરપદડમાં રહેતી કાજલ પ્રવિણભાઇ મુછડીયા (ઉ.૧૯) ફિનાઇલ પી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. ત્રીજા બનાવમાં વાંકાનેરના ઠીકરીયાળીની હંસાબેન ભરત વાઘેલા (ઉ.૨૭) ઝેરી દવા પી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. લગ્ન નવ વર્ષ પહેલા થયા છે. બે સંતાન છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી, વાંકાનેર અને કુવાડવા પોલીસને જાણ કરી હતી.
(3:54 pm IST)