સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th June 2019

વાયુ વાવાઝોડાની ભીતિએ મકાનમાં રહેવા ગયેલ આદિવાસી સગીરા પર દુષ્કર્મ : વાંકાનેરમાં બનાવ

પીડીતાનો ભાઈ આવી જતા આરોપી મકાનની બહાર કુદકો મારી ભાગી ગયો

વાંકાનેર: વાંકાનેર શહેર નજીક રાજકોટ રોડ પર ઝુંપડપટ્ટીમાં રહેતો આદિવાસી પરિવાર વાયુ વાવાઝોડાની સંભાવનાને પગલે તેમના શેઠના ગોકુલનગર સોસાયટીમાં આવેલા મકાનમાં રહેવા ગયો હતો. જ્યાં ગત સાંજે 6 કલાકે મકાનના ઉપરના માળે રૂમમાં એકલતાનો લાભ લઈને આરોપી માલુ દીપુભાઈ ડામોર દ્વારા ૧૪ વર્ષીય સગીરા પર દુષ્કર્મ ગુજારાયો હતો

 . બાદમાં પીડીતાનો ભાઈ આવી જતા આરોપી મકાનની બહાર કુદકો મારી ભાગી ગયો હતો. આ અંગે પીડિતાના ભાઈએ પોલીસ ફરિયાદ નોધવતા ફરાર આરોપીને ઝડપી લેવા વાંકાનેર પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

(1:28 pm IST)