જામજોધપુરના ગીંગણી ગાયત્રી પરીવાર દ્રારા વાવાઝોડા ટાણે ફુડ પેકેટ વિતરણ
તા.૧૪ : જામજોધપુર તાલુકાના ૧૯ ગામોમાં વાડી વિસ્તાર તથા કાચા મકાનોમાં રહેતાં આશરે ૧૨૩૦ લોકોને સંભવિત ''વાયુ'' વાવાઝોડા ની આફતના સમયે તાલુકા પંચાયતના પ્રમુખ ધાનાભાઇ મેરામણભાઇ બેરા, ઉપપ્રમુખ સંજનાબેન દેવાભાઇ પરમાર, કારોબારી અધ્યક્ષ મનોજભાઇ ભડાણીયા તેમજ તાલુકા પંચાયતના તમામ સદસ્યઓ મારફત સ્થળાંતર કરેલ લોકો માટે ૩૪૦૦ ફુડ પેકેટ તૈયાર કરાવી ૨ (બે) દિવસ માટે વિતરણ કરાવેલ છે.
શ્રી રામ શર્મા આચાર્ય પ્રેરિત ગાયત્રી પરિવાર ટ્રસ્ટ-ગીંગણી દ્રારા ૮૦૦ ફુડપેકેટ નો સહયોગ મળેલ છે. આફતના સમયે તાલુકા વહીવટી તંત્રના તાલુકા વિકાસ અધિકારી કે.વી.દવે. તેમજ મામલતદાર ડી.એન.કાછડ દ્રારા માર્ગદર્શન અને વ્યવસ્થા ગોઠવી તાલુકા પંચાયત ના તમામ સ્ટાફ તેમજ તાલુકાના તલાટી કમ મંત્રી ઓએ સતત ગામડે રહીને અસરગ્રસ્ત લોકો માટે પ્રસંશનીય કામગીરી કરેલ છે.