સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th June 2019

સોમનાથમાં વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા

પ્રભાસ પાટણ : સોમનાથ વિસ્તારમાં વાયુ વાવાઝોડાનો ખતરો ટળતા લોકોમાં હાશકારો થયેલ અને ગત રાત્રીથી ધીમે ધારે વરસાદ વરસવાની શરૂઆત અને તા. ૧૩-૬-૧૯ નાં દિવસનાં ધોધમાર વરસાદ વરસેલ જેથી કપીલા નદીમાં ઘોડાપુર આવેલ અને સ્વ. ધાના માડા સરોવર જે બાદલપરા ગામે આવેલ તે છલકાયેલ તેમજ વાડી વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયેલ છે. ખૂબ જ સારા વરસાદને કારણે ખેડૂતોમાં આનંદ જોવા મળેલ છે. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

(11:33 am IST)