જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી દવા પીતા પહેલા યુવાને લખી હૃદયદ્રાવક સુસાઈડ નોટ: બીજા કોઈ પરિવારનો સહારો ન જોવું જોઈએ "સાહેબ"
જામનગરમાં વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે અસહ્ય બની રહ્યો છે. ત્રણ જેટલા લોકો પાસેથી વ્યાજે લીધેલા પૈસા ની પઠાણી ઉઘરાણી થી જામનગરના સાધનાકોલોની માં રહેતા પન્ના ગલ્લામાં નોકરી કરતા રવિ નરેન્દ્રભાઈ ભોજવાણી નામના યુવકે ઝેરી દવા પી આયખું ટૂંકાવ્યું છે.
માતા પત્ની અને બાળક સાથે રહેતા યુવકે ઝેરી દવા પી લીધા બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. જ્યા 14માં દિવસે યુવાને દમ તોડ્યો છે. આ યુવાન અવસાન બાદ પરિવારજનોએ મુદ્દે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતાં ઊહાપોહ મચી ગયો હતો.
મૃતક યુવાન રવિએ દવા પીધા પહેલા સુસાઇડ નોટ અને વ્યાજખોરોના નામ નંબર સરનામાં સાથે લખી હતી. આ રવિ એ લખ્યું હતું કે, હું એટલે રવિ ઘરમાં એકલો છું હું મારા ઘરથી બહુ વધારે પ્રેમ કરું છું પણ છેલ્લા ત્રણ વર્ષથી કેટલું વ્યાજ ભરું છું કે એની કોઈ સીમા નથી
મારા છોકરાના પેટમાં નથી દેતું એટલું વ્યાજ વાળાઓને દઉં છું હવે નથી લઈ શકતો તેથી આ પગલું ભરવા જઈ રહ્યો છું
મારા મોતનું કારણ તમે સમજી ગયા હશો અને હજુ આપ તું નવરત પણ મોકલી દીધા પછી પણ બે વર્ષ થયાં વ્યાજ ચાલુ જ છે હવે એ વ્યાજ મૂડી કરતાં પણ વધી ગયો છે પણ હા લોકો ને કોઈ રોકી શકતું નથી કારણ કે પૈસા છે પાવર છે હોદો છે
આ લોકોના નામ નંબર પાછલા પાને લખું છું અને આ લેટર કોઈ સારા અધિકારીના હાથમાં આવે તેવી હું અપેક્ષા રાખું છું કે જેના લીધે કોઈ સામાન્ય વ્યક્તિ આવું પગલું ના ભરવું જોઈએ
કારણકે મારે સાહેબ બે છોકરા નાના મારી પત્ની મારા મમ્મીનો હું એક જ સારો છું.
બીજા કોઈનો સહારો ન જોવું જોઈએ મારી જિંદગી ખરાબ કરનાર પહેલો વ્યક્તિ 1 રાજુભાઈ,તેનો ભત્રીજો લાલો માંધો (અમિત નંદા)2 અને લાલો સ્વામી આ ત્રણેયના નામ નંબર લખેલી સુસાઈટ નોટ પણ હદયદ્રાવક છે. અને અંતે પ્લીઝ હેલ્પ માય હોમ રવિ એવું પણ લખ્યું છે.
(તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર,અહેવાલ:મુકુંદ બદીયાણી)