પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરનો મત
સરકાર માફક વાલીઓ પણ પ્રાથમિક શિક્ષણ માટે જાગૃત બને તે જરૂરી છે
અમરેલી તા. ૧૫ : અમરેલી તાલુકાના મેડી ગામે પ્રાથમિક શાળામાં પヘમિ ગુજરાત વીજ કંપની લિમિ.ના નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી એમ.આર. પરમારે, ૨ કન્યાઓ અને ૪ કુમાર સહિત કુલ ૬ બાળકોને મીઠું મો કરાવી ધો.૧માં પ્રવેશ અપાવ્યો હતો.
આ પ્રસંગે શ્રી એમ.આર. પરમારે કહ્યું કે, રાજય સરકાર પ્રાથમિક શિક્ષણ માટે ચિંતિત છે ત્યારે શિક્ષકો ઉપરાંત વાલીઓ પણ જાગૃત્ત બને તે જરૂરી છે. કન્યાઓના અભ્યાસને વધુ મહત્વ આપવાનું જણાવી તેમણે કહ્યું કે દીકરી બે કુળ તારે છે. રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમનો ઉદ્દેશ્ય, શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો ડ્રોપ વિના અભ્યાસ કરવા જાગૃત્ત બને તે પણ છે.
ઉકત પ્રસંગે કુલદીપભાઇ દેવમુરારી, આચાર્ય નરેશભાઇ ગોસલીયા તથા અન્ય અધિકારી - પદાધિકારી અને વિદ્યાર્થીઓ તથા આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.