સુરેન્દ્રનગરમાં ૧૮મી જુને એપ્રેન્ટીસ ભરતી મેળો
સુરેન્દ્રનગર તા. ૧૫ : મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ ઉત્પાદક/સેવાકીય એકમોમાં નિયત કરેલા વિવિધ ટ્રેડ/વ્યવસાયમાં આશરે ૧૦૦ થી વધુ જગ્યા ભરવા માટે આઈ.ટી.આઈ. બસ સ્ટેન્ડની સામે, સુરેન્દ્રનગર ખાતે તા.૧૮ના સવારે ૯-૦૦ કલાકે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. ધોરણ-૮-૯-૧૦-૧૨ પાસ ઉમેદવારો પણ એપ્રેન્ટીસ ભરતી મેળામાં સીધો ભાગ લઈ શકશે. અને કોઈપણ ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસ ઉમેદવાર ભાઈ-બહેનોએ જરૂરી તમામ અસલ પ્રમાણપત્રો તથા ઝેરોક્ષ નકલ, આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ, ત્રણ નકલમાં બાયોડેટા સહિત ઉપસ્થિત રહેવા આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સુરેન્દ્રનગરની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ ખાતે લશ્કરી ભરતીમાં મેડીકલ પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારો જોગ
સુરેન્દ્રનગર જિલ્લાના ઉમેદવારો માટે સૌરાષ્ટ્ર યુનિર્વસીટી ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે તા.૨૬/૪/૨૦૧૮ થી તા.૬/૫/૨૦૧૮ના રોજ સોલ્જર જનરલ ડયુટી, સોલ્જર ટ્રેડમેન, સોલ્જર ટેકનિકલ, સોલ્જર કલાર્ક, સોલ્જર નર્સીંગ આસીસ્ટન્ટની જગ્યાઓ માટે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ. આ લશ્કરી ભરતી મેળામાં સુરેન્દ્રનગર જિલ્લાના મેડીકલ કસોટીમાં ઉતિર્ણ થયેલ હોય તેવા ઉમેદવારોએ રોજગાર અધિકારીની કચેરી ખાતે તા.૨૧ સુધીમાં કચેરીના કામકાજના દિવસ દરમિયાન એડમીટકાર્ડની નકલ તથા સંમતી જમા કરાવવા જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીનો સ્વખર્ચે રૂબરૂ સંપર્ક સાધવા રોજગાર અધિકારી(જનરલ)ની યાદીમાં જણાવાયું છે.