હળવદ ખાતે આજથી બાંદ્રા ભૂજ ટ્રેનના સ્ટોપેજ મળશેઃ રજુઆતને સફળતા
હળવદ, તા.૧પઃ દિલ્હી ખાતે માનનીય સાંસદ મોહનભાઇ કુંડારીયા, પુર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ રાવલ તેમજ પૂર્વ પ્રમુખ રણછોડભાઇ દલવાડીયા દ્વારા હળવદ શહેરના લોકોની પરીવહન માટેની પાયાગત સુવિધા રેલ્વે મુસાફરીની વિવિધ રજુઆત જેવી કે, હળવદ રેલ્વે સ્ટેશન આધુનિક બનાવવા તેમજ હળવદથી પસાર થતી અને સ્ટોપ વગર જ જતી ટ્રેનના સ્ટોપ માટે કેન્દ્રિય રેલ્વે મંત્રી શ્રી પીયુષભાઇ ગોયલ સાહેબ તથા ચેરમેન શ્રી અશ્વિનીકુમાર સાહેબને રજુઆત કરેલ. જે અંતર્ગત બાંન્દ્રા-ભૂજ એકસપ્રેસ (એ.સી કોચ) ને હળવો ખાતે સ્ટોપ આપેલ છે જે તા.૧૪-૬-૨૦૧૮ થી સોમવાર, ગુરૂવાર, તથા શનીવારના રોજ બાંન્દ્રાથી ભુજ તરફ જતા સવારે ૮.૪પ કલાકે તેમજ ભુજથી બાંન્દ્રા તરફ જતા સાંજે ૭.૧૦ કલાકે હોલ્ટ કરશે.