ઉમરાળીમાં ભગવાન ચાવડાની વાડીમાં જૂગારનો દરોડોઃ છ પત્તાપ્રેમી પકડાયા
આજીડેમ પોલીસે કાર્યવાહી કરી રૂ. ૩૩૩૦૦ની રોકડ કબ્જે લીધી
રાજકોટ તા. ૧૫:આજીડેમ પોલીસે સરધારના ઉમરાળી ગામમાં આવેલી આહિર પ્રોૈઢની વાડીની ઓરડીમાં દરોડો પાડી તેના સહિત ૬ શખ્સોને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૩૩૩૦૦ની રોકડ કબ્જે લીધી હતી.
પોલીસે ઉમરાળી ગામે રહેતાં ભગવાન રાણાભાઇ ચાવડા (આહિર) (ઉ.૫૬)ની ઓરડીમાં દરોડો પાડી તેને તથા વીરનગરના રમેશ ઇશ્વરભાઇ ગોસાઇ (બાવાજી) (ઉ.૫૦), બાબરાના સુખપરના ધર્મેન્દ્ર દેહુરભાઇ ડવ (આહિર) (ઉ.૨૨), વિરનગરના હરેશ ભોળાભાઇ સાંકળીયા (કોળી) (ઉ.૨૮), હલેન્ડાના ભવાન ઉર્ફ ભાવેશ અરજણભાઇ ઝાપડા (ભરવાડ) (ઉ.૩૨) તથા ખારચીયાના જગદીશ અમૃતલાલ વેગડા (રાજગોર બ્રાહ્મણ) (ઉ.૩૩)ને પકડી લઇ ગંજીપાના તથા રોકડા રૂ. ૩૩૩૦૦ કબ્જે લીધા હતાં.
પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત, જેસીપી ડી. એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના, એસીપી બી. બી. રાઠોડ સહિતે દારૂ-જુગારની પ્રવૃતિ અટકાવવા સુચના આપી હોઇ તે અંતર્ગત પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ ડી. બી. ગઢવી, હેડકોન્સ. મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી, કોન્સ. જયદિપસિંહ, પરેશભાઇ સાંગાણી, શૈલેષભાઇ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી મળતાં આ દરોડો પાડવામાં આવ્યો હતો.