News of Saturday, 15th May 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 8 લોકોના મોત : નવા 433 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 297 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 201 કેસ ,જૂનાગઢ તાલુકામાં 22 કેસ, માળીયામાં 45 કેસ, કેશોદમાં 39 કેસ, માંગરોળમાં 33 કેસ, વિસાવદરમાં 28 કેસ,માણાવદરમાં 23 કેસ,ભેસાણમાં 15 કેસ,મેંદરડામાં 14 કેસ,વંથલીમાં 13 કેસ નોંધાયા
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે કોરોનાએ વધુ 8 લોકોનો ભોગ લીધો છે આજે કોરોનાના નવા 433 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 297 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 433 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 201 કેસ ,જૂનાગઢ તાલુકામાં 22 કેસ, માળીયામાં 45 કેસ, કેશોદમાં 39 કેસ, માંગરોળમાં 33 કેસ, વિસાવદરમાં 28 કેસ,માણાવદરમાં 23 કેસ,ભેસાણમાં 15 કેસ,મેંદરડામાં 14 કેસ,વંથલીમાં 13 કેસ નોંધાયા છે
(8:51 pm IST)