સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th May 2020

વાંકાનેરના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલ 14 અને બરવાળાના યુવાન સહિત 16 લોકોના રિપોર્ટ નેગેટિવ

તમામના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતની શ્વાસ લીધો

મોરબી : મોરબી જિલ્લામાં વાંકાનેરના દર્દીના સંપર્કમાં આવેલ 14 ઉપરાંત શંકાસ્પદ લક્ષણો ધરાવતી અણિયારી ગામની યુવતી અને બરવાળાના યુવાનનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતની શ્વાસ લીધો છે.

મોરબીમાં ગુરુવારે કુલ 16 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં વાંકાનેરના કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો સહિત 14 લોકોના આરોગ્ય તંત્રએ સેમ્પલ લીધા હતા. આ ઉપરાંત મોરબીના અણીયારી ગામની એક 25 વર્ષની યુવતીમાં પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને મોરબી સિવિલના આઇસોલેશન વોર્ડમાં ખસેડીને સેમ્પલ લેવામાં આવ્યા હતા.

 આ ઉપરાંત બુધવારે લેવાયેલ બરવાળાના યુવકનું સેમ્પલ રિજેક્ટ થતા તેનું ફરીથી સેમ્પલ લેવામાં આવ્યું હતું. જે તમામના રિપોર્ટ આજે શુક્રવારે જાહેર થયા હતા. અને તમામના રિપોર્ટ કોરોના નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો

(7:00 pm IST)