સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th May 2019

જેતપુરના ચેતન ગઢીયાની ગુજરાત ખેડૂત સમાજના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખપદે નિયુકતી

જેતપુર, તા. ૧પ : જેતપુર પંથકના ચેતનભાઇ ગઢીયાની ખેડુત સમાજ ગુજરાતે સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે નિમણૂંક આપતા આનંદની લાગણી પ્રસરી છે.

વ્યકિતને પોતાનામાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઇએ તેવો જીવન મંત્ર ધરાવતા ચેતનભાઇ ગઢીયા ગુજરાત ખેડૂત સમાજના રાજકોટ જીલ્લા પ્રમુખ તરીકે બખુબી કામગીરી હાથ ધરી રહ્યા છે ને તેમની આ નિષ્ઠાપૂર્વકની કામગીરીની કદર કરી ગુજરાત ખેડૂત સમાજના જયેશભાઇ પટેલે સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ તરીકે નિયુકતી આપતા ચેતનભાઇના સર્વત્રથી  અભિનંદનની વર્ષા વરસી રહી છે.

(11:27 am IST)