શિવ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિય સમુહલગ્ન
શિવ માનવ સેવા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરાયુ હતુ. જેમાં ૧૧ દિકરીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા. મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, દલિત નેતા અમરશીભાઇ મકવાણા, ડે. મયેર અશ્વિન મોલીયા, કોર્પોરેટર રાજુભાઇ અઘેરા, ડી. બી. ખીમસુરીયા, સુરેશભાઇ રૈયાણી, ટ્રસ્ટ નોંધણી કચેરીના નિવૃત્ત ઓફીસર શ્રીમતી જોગદીયાબેન, રસિલાબેન રાઠોડ, વાઇસ પ્રેસીડેન્ટ બી.એસ.એન.એલ. યુનિય તથા પી. યુ. પરમાર બી.ઓ.આઇ., સી. ડી. ચાવડા બામસેફ લીડર, રમેશ તુરી નિર્લોક પરમાર, ગુજરાતી નાટય કલાકાર ઉપસ્થિત રહેલ અને નવવિવાહીત વર કન્યાને આશીર્વચનો આપ્યા હતા. તમામ દીકરીઓને દાતા અમરશી મકવાણાના હસ્તે સોના ચાંદીના ઘરેણા સહીતની વસ્તુઓ કરીયાવરમાં અપાઇ હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેશ કે. સોલંકી, જય વી. મકવાણા, નરેશ એમ. સોલંકી, બકુલ એમ. સોલંકી, મોહીત વી. મકવાણા, કરણ એમ. સોલંકી, નરેશ પી. સોલંકી, હસમુખ આર. પરમાર, હીરાબેન, નંદુબેન, જીજાબેન, રંજનબેન, કંચનબેન, પારૂલબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.