ટંકારાના ઓટાળાના સતીષભાઇ છીપરીયાનો ઝેર પી આપઘાત
ટંકારા, તા. ૧પ : તાલુકાના ઓટાળા ગામમાં રહેતા યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા સતીષ ડાયાભાઇ છીપરીયા ઉ.વ. રર એ કોઇ કારણોસર ઝેરી દવા પીધેલ તેને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
લજાઇમાં દાઝી જતા સોનમબેનનું મોત
ટંકારા તાલુકાના લજાઇ ગામે સદ્ગુરૂ પોલી. પેકમાં સોનમબેન દિપેનભાઇ રાજપૂત (ઉ.વ.૧૯) (મુળ ગામ ખેડા સેલાજીનુ તા. સડીલા જિલ્લો હમીરપર (ઉતર પરદેશ) ઘરે રસોઇ બનાવતા હતાં ત્યારે દાઝી જતા જેને પ્રથમ મોરબી ક્રિષ્ના હોસ્પિટલ તથા ત્યાંથી રાજકોટ સરકારી હોસ્પિટલે ખસેડાઇ હતી ત્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું. મૃતક સોનમના એક વર્ષ પહેલા લગ્ન થયા હતાં. આ અંગે ટંકારા પોલીસે તપાસ આદરી છે.(૮.૯)