ભાવનગરમાંશહીદ બચુભાઇ પટેલ અને શહીદ જાદવજીભાઇ મોદીને શ્રધ્ધાંજલી
ભાવનગર તા ૧૫ : ભાવનગર ખાતે તા.૧૪-૧૫ મે ૧૯૩૯ ના મળેલ અધિવેશનના અધ્યક્ષ સરદાર વલ્લભભાઇ પટેલ હતા. તા ૧૪/૫/૧૯૩૯ ના રોજ રેલ્વે સ્ટેશન થી ખુલ્લી જીપમાં સરઘસરૂપે લાવતા હતા પરંતુ ખાર ગેઇટ ચોક ખાતે સરઘસ પતી જતા સરદાર પટેલ ઉપર તલવારો સાથેનું ટોળુ હુમલો કરવા તુટીપડવા નીકળી પડયુ હતુ પણ કણબીવાડના બે યુવાનો બચુભાઇ પટેલ અને જાદવજીભાઇ મોદી આ બન્ને યુવાનો જીપમાં ચડી ગયા અને સરદાર પટેલની ઉપર ઢાલ બની ગયા ખારગેઇટ ચોક ખાતે બન્ને યુવાનો શહીદ થયા આજે ત્યા બચુભાઇ પટેલની પ્રતીમા આવેલ છે.
સરદાર યુવા મંડળ ભાવનગર દ્વારા બન્ને શહીદોને યાદ કરીને ફુલહાર કરીને મંડળના ભરત મોણપરા, પ્રવીણભાઇ ત્રીવેદી, પૃર્વ ડે. મેયર પ્રભાબેન પટેલ ખાર ગેઇટ ચોકના વેપારીઓ જેમાં મુકેશભાઇ કલ્યાણી, ચેતનભાઇ શાહ, મણીભાઇ પટેલ, ભાયાભાઇ (ગાંઠીયાવાળા) ભગતભાઇ સેવડીવાળા, તેમજ મહીપતભાઇ ત્રીવેદી સહીતેે પુષ્પાંજલી અર્પી હતી.