સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

વિરનગર ખાતે ઓકસીજન સુવિધાવાળી પ૦ બેડની હોસ્પીટલ શરૂ થશે: 50 બેડ પૈકી ૨૫ પુરૂષો માટે અને ૨૫ સ્ત્રીઓ માટે ફાળવવામાં આવશે

રાજકોટ :રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના સંક્રમણને અટકાવવા અને વધતા જતા દર્દીઓની સંખ્યાને ધ્યાને લઇને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા બેડ વધારવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં વિરનગર ખાતે આગામી થોડાક દિવસોમાં ૫૦ બેડની ઓકસીજનની સુવિધા સાથેની હોસ્પીટલ તૈયાર થઇ જશે તેમ પ્રાંત અધિકારી પ્રિયાંક કુમાર ગલચર દ્વારા જણાવાયું છે.
 આ પચાસ બેડની સુવિધા ઉપલબ્ધ થતાં આસપાસના વિસ્તારના લોકોને દાખલ કરી શકાશે. પચાસ બેડ પૈકી ૨૫ પુરૂષો માટે અને ૨૫ સ્ત્રીઓ માટે ફાળવવામાં આવશે તેમ પણ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.

(7:42 pm IST)