જોડિયામાં આજથી સ્વૈચ્છીક લોકડાઉન
કોરોના સંક્રમણ અટકાવવા માટે બેઠકમાં નિર્ણય
(રમેશ ટાંક દ્વારા) જોડિયા તા. ૧૫ : ગામમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જોડિયાના હુન્નર શાળા ખાતે સ્થાનિક તંત્ર અને વેપારી તથા ગામજનોની બેઠક મળી હતી.
જેમાં મામલતદાર ટી.ડી.ઓ., પીએસઆઇ, સરપંચ તથા ગામના અગ્રણી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોરોના જંગમાં કેવી રીતે લડવું તે અંગે વ્યાપક ચર્ચા - વિચારણા બાદ નિર્ણય લેવામાં આવેલ કે સવારથી ૮ વાગ્યાથી ૨ વાગ્યા સુધી કોવિડ-૯ના પાલન સાથે બજાર ખુલી રહેશે અને બપોર બાદ વેપારી દ્વારા સ્વૈચ્છીક લોકડાઉનનું સમર્થન કર્યું હતું. જોડિયાના પી.એસ.આઇ. આ તકે જણાવેલ કોઇપણ કોવિડ-૧૯નું પાલન નહી કરે તેની સામે ગુન્હા નોંધાશે.
આ બાબત મામલતદારે પણ કોવિડ-૧૯ના ચુસ્ત પાલન કરવા બેઠકમાં જણાવ્યું હતું. કોરોનાને ગામમાં અટકાવા માટે પ્રજાનો સહયોગ જરૂરી છે.