પૂ. મોરારીબાપુનાં નાનાભાઇ જાનકીદાસભાઇ (ટીકાબાપુ)નો બુધવારે તલગાજરડામાં ભંડારો
ભાવનગર તા.૧૫: વિશ્વવંદનિય શ્રી મોરારીબાપુના લઘુબંધુ જાનકીદાસ પ્રભુદાસ હરિયાણી (ટીકાબાપુ) (ઉ.૫૪)નું શનિવારે અમદાવાદ ખાતે ટૂંકી સારવાર બાદ નિધન થયું છે. તેમના નિધના સમાચારની જાણ થતાં ભાવિકો, ભકતો, સીતારામ પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરેલ છે. થોડા દિવસ પહેલા સ્વ. જાનકીદાસબાપુ (ટીકાબાપુ)ની તબિયત સારી ન હોય મહુવાની હનુમંત હોસ્પિટલમાં સારવારમાં રાખવામાં આવેલ. જયાંથી વધુ સારવારાર્થે ર દિવસ પહેલાં અમદાવાદ ખાતે ખસેડવામાં આવેલ જયાં તેઓએ તા. ૧૩ના સારવાર દરમિયાન દેહ છોડયો હતો.
શ્રી મોરારીબાપુ ઉત્તરપ્રદેશ ખાતે રામકથામાં હોય કાલે રવિવારે કથા પૂર્ણ કરી તલગાજરડા ખાતે આવ્યા. જાનકીદાસ બાપુ (ટીકાબાપુ)ની અંતિમવિધિ કરવામાં આવી હતી. અને સમાધી અપાઇ હતી.
જાનકીદાસ હરિયાણીનો ભંડારો તા. ૧૭ને બુધવારે તલગાજરડામાં રાખેલ છે.
હનુમંત સંગીત મહોત્સવ અને અસ્મિતા પર્વના કાર્યક્રમો બંધ
હનુમાન જન્મોત્સવ અંતર્ગત યોજાનાર હનુમંત સંગીત મહોત્સવ અને અસ્મિતા પર્વ-વર્ષ ૨૦૧૯ અનિવાર્ય કારણોથી બંધ રાખવામાં આવેલ છે. વકતાઓ, શ્રોતાઓ અને કલાકારોને પડનારી અગવડ માટે ક્ષમા પ્રાર્થી છે.