રાજુલા નજીકથી ચૂંટણીનું રણશીંગુ ફુંકતા રાહુલ ગાંધી
અમરેલી, ભાવનગર, જુનાગઢ લોકસભા બેઠક માટે કોંગ્રેસના અધ્યક્ષની જાહેર સભા
અમરેલી-રાજુલા,તા.૧૫: લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે અમરેલી જીલ્લાના રાજુલા પાસે આવેલ આસરાણા ચોકડી ખાતે બપોરે ૨ વાગ્યા આસપાસ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનુ આગમન થનાર છે અને જાહેરસભા સભા ચૂંટણીનું રણશીંગુ ફંુકશે.ઙ્ગ
ગુજરાત પ્રવાસના પ્રારંભે આજે તેઓ અહીં આવી રહ્યા છે અને પોતાના સંબોધનમાં કેન્દ્રની મોદી સરકાર ઉપર તીખા પ્રહારો કરે તેવી શકયતા છે. રાફેલ મામલે ચોકીદાર ચોર હૈના નારા પણ તેઓ લોકો પાસે લગાવડાવે તેવી શકયતા છે. રાહુલ ગાંધી મતદારોને મોદી સરકારની નિષ્ફળતાઓ ગણાવશે, એટલું જ નહીં કોંગ્રેસના ઉમેદવારોને ભવ્ય વિજય અપાવવા હાકલ પણ કરશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અમરેલી, ભાવનગર અને જૂનાગઢ લોકસભા બેઠક માટે ચૂંટણી પ્રચાર કરશે. પરેશ ધાનાણી, મનહર પટેલ, પુંજાભાઇ વંશના સમર્થન માટે રાહુલ ગાંધી મહુવા નજીક આવેલા આસરાણા ચોકડી ખાતે બપોરે બે વાગ્યે સભા સંભોધન કરશે.