ગ્રામ સ્વરાજ મંડળ દ્વારા સ્વ.ઢેબરભાઇની પૂણ્યતીથીએ જુનાગઢની શિશુમંગલ સંસ્થાની સેવાઓનું સન્માન
રાજકોટ : ગ્રામ સ્વરાજ મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વ. ઢેબરભાઇની ૪૨ મી પૂણ્યતીથીએ જુનાગઢની શિશુમંગલ સંસ્થાના સ્થાપકો સ્વ. પુષ્પાબેન મહેતા, સ્વ. વિક્રમકિશોર બુચ, સ્વ. મનોરમાબેન બલિયા, મીનાક્ષીબેન જાનીની ઉજવળ પરંપરા જાળવી રાખી ગાંધી ચિંધ્યા માર્ગે બાળક બાલિકાઓનું ઘડતર, મહિલા જાગૃત્તિ અને સ્ત્રી ઉન્નતિ જેવા સેવા કાર્યો નિષ્કામભાવે કરી રહેલ શિશુમંગલ ટ્રસ્ટની સેવાઓનું બહુમાન કરાયુ હતુ. સ્વ. ઢેબરભાઇની ૪૨ મી પૂણ્યતીથીએ જુનાગઢમાં યોજાયેલ એક સમારોહમાં શિશુમંગલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને રૂ.૭૫૦૦૦ ની પુરસ્કાર રાશીનો ચેક અર્પણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શિશુમંગલ ટ્રસ્ટના ટ્રસ્ટી કીરીટભાઇ સંઘવી, માનદમંત્રી કેતકીબેન જાનીએ ટ્રસ્ટવતી સન્માનનો સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે સ્વરાજ મંડળ સેવા ટ્રસ્ટના મંત્રી હિંમતભાઇ ગોડા, ટ્રસ્ટીઓ વલ્લભભાઇ લાખાણી, બળવંતભાઇ ગોડા, દિપેશભાઇ બક્ષી તેમજ શિશુમંગલ સંસ્થાના ટ્રસ્ટીઓ અને સમગ્ર પરિવાર ઉપસ્થિત રહેલ.