સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

કુતિયાણાના ટીંબીનેસમાં પિતાએ છરીના ઘા મારી કરેલ પુત્રની હત્યાઃ અરરાટી

ઘેર કોઇ મહેમાન કે મિત્રો આવવા ન જોઇએ તે બાબતે માથાંકુટઃ ગરચર રબારી પરિવારમાં શોક વ્યાપી ગયેલ

 પોરબંદર તા.૧૫: કુતિયાણાના ટીંબીનેસમાં છરીના ઘા મારીને પિતાએ પુત્રની હત્યાં કરી નાખતા અરેરાટી વ્યાપી ગઇ છે પિતાની તેના પુત્ર સાથે મારા ઘેર કોઇ મહેમાન કે મિત્રો આવવા ન જોઇએ તે બાબતે માથાંકુટ બાદ ઉશ્કેરાયેલા પિતાએ છરી ઘા ઝીંકી દીધા હતા. આ બનાવથી ગરચર રબારી પરિવારમાં શોક વ્યાપી ગયેલ.

આ બનાવ અંગે ટીંબીનેસમાં રહેતા બધીબેન લખમણભાઇ ગરચરે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે લખમણ બાવન ગરચર (ઉ.વ.૪૫)ની નેતા પુત્ર મેરૂ સાથે ઘેર કોઇ મહેમાન કે મિત્રો આવવા ન જોઇએ તેમ કહી તે બાબતે માથાંકુટ થઇ હતી ત્યારબાદ ઉશ્કેરાયેલ પિતા લખમણ બાવન ગરચરે પુત્ર મેરૂને છરીના ઘા ઝીંકી દેતા ગંભીર ઇજા થતાં સારવાર માટે પોરબંદર લઇ જવામાં આવતા હતાં તે દરમિયાન મેરૂનું રસ્તામાં મૃત્યુ થતાં હત્યાનો ગુન્હો નોંધાયો છે.આ બનાવની વધુ તપાસ કુતિયાણા પીએસઆઇ ડી.વી.પંડ્યા ચલાવી રહેલ છે.

(3:55 pm IST)