ધોરાજીમાં પોરબંદર લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્શ પ્રક્રિયાઃ ૪ નામ ચર્ચામાં
ધોરાજી, તા.૧પઃ જમનાવડ રોડ ખાતે આવેલ લેવા પટેલ સમાજ ખાતે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા પોરબંદર લોકસભા સીટ માટે આજરોજ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી જેમાં પ્રદેશ ભાજપ દ્વારા ત્રણ નિરીક્ષકો મોકલવામાં આવેલા જેમાં રમેશભાઈ મુગરા, શંભુનાથ મુડીયા, આદ્યશકિતબેન મજમુદાર જેઓએ સવારે ૯:૩૦ પોરબંદર લોકસભા સીટ માં આવતા પોરબંદર જૂનાગઢ રાજકોટ જામનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની સેન્સ લેવા માટે તમામ જિલ્લાને અલગ અલગ સમય ફાળવવામાં આવ્યો હતો. સેન્સ સવારે ૯:૩૦ થી સાંજના પાંચ વાગ્યા સુધી ચાલશે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પોરબંદર લોકસભા સીટ માટે વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર લલીતભાઈ રાદડિયા, જશુબેન કોરાટ, ભરતભાઈ ગાજીપરા મનસુખભાઈ ખાચરિયા વિગેરેના નામ ચર્ચાઈ રહ્યા છે. જોઈએ આજે સાંજ સુધીમાં કેટલા ઉમેદવારો માટેની દાવેદારી આવે છે. આજની આ બેઠકમાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ ડી.કે સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેંતા, જયંતિભાઈ ઢોલ ભરતભાઇ બોધરા, ભુપતભાઇ ડાભી, ગોવિંદભાઇ રાણપરિયા, પ્રશાંતભાઈ કોરાટ, નાગદાનભાઈ ચાવડા, સતિષભાઈ ભીમજીયાણી, કિશોરભાઈ રાઠોડ, વી.ડી.પટેલ,હરસુખભાઈ ટોપીયા, જયસુખભાઇ ઠેસિયા, પ્રતિપાલસિંહ જાડેજા, સુખદેવસિંહ વાળા, ડી.જી.બાલધા, હરકીશન માવાણી, નિલેશભાઈ કણસાગરા વિગેરે પોરબંદર જૂનાગઢ રાજકોટના ભાજપના હોદેદારો સેન્શ દેવા માટે આવેલા છે.