સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

સોમનાથ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિદ્યાલય ખાતે જન્મદિવસ ઉજવાયો

સાંસ્કૃતિક આધ્યાત્મિક સંબોધન દીપપ્રાગટય સાથે જયમાલા બહેનને શુભેચ્છાઓ અપાઇ

પ્રભાસપાટણ : ૧૫ :  સોમનાથ-વેરાવળરોડ ઉપર ભાલકામંદિર પાસેઆવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે ેસેવા કેન્દ્ર ઇન્ચાર્જ બ્ર.કુ. જયભાલા બહેનનો જન્મ દિવસઆધ્યાત્મિક-દિવ્ય વાતાવરણમાં યોજાયો હતો.

આ પ્રસંગે ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો દિપ પ્રાગટય અને ચંદન તિકલ પુષ્પગુચ્છ થી સ્વાગત કરી વેરાવળ સીટી સેવા કેન્દ્રના ઇન્ચાર્જ જયમાલા બહેનની ૩૮ વરસની ઇશ્વર સર્મપિત સેવાઓને બિરદાવવામાં આવી.

તા. ૧૦-૩-૬૪ ના રોજ ઉના ખાતે જન્મેલા તેઓ ૧૯૮૧ થી આ સંસ્થામાં જોડાયા. હાયર સેકન્ડરી, કોમ્પ્યુટર પાસ તેઓ જ્ઞાન યોગ, યોગ શિબીર, તનાવ મુકત શિબીર, સેલ્ફ મેનેજમેન્ટ, ક્રોધમુકત જીવન તપસ્યાથી પ્રખર યોગ શિબીરો વેરાવળ, તાલાલા, કોડીનાર, સાસણ, સુત્રાપાડા, ગડુ, ખોરાસા, ચોરવાડ સહિત સોમનાથ પંથકમાં ચલાવી  દિવ્ય ઉજાશ પાથરે છે.

આ પ્રસંગે વિશાળ સમુદાય સાથેહસમુખભાઇ હિરપરા,નિવૃત વન અધિકારી અપારનાથી, અવિનાશ બહેન તથા ભાસ્ક વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા.

(12:02 pm IST)