સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 15th March 2019

એક સાથે ચાર-ચાર વીજપોલ ધરાશાયી થવા છતા

ચલાલામાં અધિકારીઓના સંકલનથી માત્ર બે કલાકમાં વીજપુરવઠો ચાલુ કરાયો

ચલાલા. તા.૧૫: નવી નગરપાલિકા પાસે એકાએક એકપછી એક એવા ચાર વીજપોલ અને બે ટ્રાન્સમીટર ધરાશાયી થતા થોડોક ટાઇમ નાસ ભાગ અને અફડા તફડીનો માહોલ થતા ગ્રામજનોના ટોળા ઉમટી પડયા હતા.

સ્થળ પર વીજપોલ ધરાશાયી થયેલ જોતા પહેલી નજરે એવું લાગતું હતું બે ત્રણ દિવસ વીજપુરવઠો ચાલુ નહી થાય પરંતુ ચલાલાના યુવા પ્રમુખ શ્રી હિંમતભાઇ દોંગા અને કાર્યશીલ પી.જી.વી.સી.એલ.ના ઇજનેર પરમાર અને તેમના કર્મઠ જુનિયર ઇજનેર પટેલ અને શ્રી સુડાસમા સહિતનાએ સંકલનથી સ્થળ પર તાબડતોડ કામગીરી ચાલુ કરી દેતા માત્ર અઢી કલાકમાં જ આખા શહેરમાં વીજપુરવઠો ચાલુ કરી દેતા શહેરીજનોમાં પ્રમુખ હિંમતભાઇ દોંગા અને પી.જી.વી.સી.એલ.ની ઉમદા કામગીરીની પ્રશંસા થઇ રહી છે.

(9:39 am IST)