News of Friday, 15th March 2019
ભાવનગરમાં ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માર્ગદર્શન અને નિદર્શન
ભાવનગર :આગામી લોકસભાની ચૂંટણીને લઈને મતદારોને જાગૃત કરવાના ભાગરૂપે ચૂંટણી અધિકારીની સુચનાથી ઈવીએમ, વીવીપેટનો કેવી રીતે ઉપીયોગ કરવો તે અંગેની માહિતીત થા જાણકારી માટે મોબાઈલ વાન, કાર્યરત કરવામાં આવી છે. આ વાન પછાત વિસ્તારોમાં જઈને લોકોને ઈવીએમ અને વીવીપેટ મશીનના ઉપયોગ અંગે માર્ગદર્શન આપી રહ્યા છે અને તેનું નિદર્શન કરી રહ્યા છે.
(11:07 pm IST)