સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th March 2018

મોરબીમાં અપમૃત્યુના બે બનાવમાં માસુમ બાળક અને વૃદ્ધનુ મોત

કુવામાં પડી જતા બાળકનું મોત અને ગળેફાંસો ખાઈને વૃદ્ધએ કર્યો આપઘાત

 

મોરબીમાં બે જુદા જુદા અપમૃત્યુના બનાવમાં એક માસૂમ બાળક સહીત બેના મોત થયા હતા જેમાં એક વૃદ્ધે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જયારે એક બાળક કુંડીમાં પડી જતા તેનું મોત થયું છે.

 આ અંગેની વિગત મુજબ મોરબીના વાવડી ખાનપર નજીક આવેલી વાડીમાં મજુરી કરતા નરેશભાઈ ડામોર આદિવાસી પરિવારની બે વર્ષની દીકરી વર્ષા ખાનપરથી ચાર કિમી દુર વાવડીના માર્ગે ખેતરમાં પાણીની કુંડીમાં પડી જતા તેનું કરુણ મોત નીપજ્યું છે જયારે બીજા બનાવમાં સામાકાંઠે ભાગ્યલક્ષ્મી સોસાયટીના રહેવાસી જામભા પ્રભાતસિંહ ગોહિલ (ઉ.વ.૮૫) નામના વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે પોલીસે બંને બનાવોની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

(10:18 pm IST)