જામનગર આર્ય સમાજ દ્વારા શુભેચ્છા સમારોહ
આર્યસમાજ જામનગર સંચાલિત શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય શ્રેણી-૧૦ વિદ્યાથીર્નીઓનો શુભેચ્છા સમારંભ અને શ્રેણી-૧રની વિદ્યાર્થીનીઓનો શુભેચ્છા સહ વિદાય સમારંભ યોજાયેલ હતો. અધ્યક્ષ સ્થાને આર્યસમાજ - જામનગરનાં પ્રમુખ દિપકભાઇ ઠકકર રહયા હતા. આર્યસમાજ અને આર્ય વિદ્યાસભા જામનગરના માનદ મંત્રી મહેશભાઇ રામાણી તેમજ શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક વિભાગના આચાર્યો પ્રફુલ્લાબેન રૂપીયા દ્વારા વિદાયની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
વિદ્યાર્થીની બહેન રાઠોડ હિરલ, રાઠોડ તુલસી, ચાકી સીમા અને શિક્ષિકા બહેનો જયશ્રીબેન જાની, રીશાબેન પોપટ, જલ્પાબેન નકુમ, ધર્મિષ્ઠાબેન ગોહિલ દ્વારા વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ સમારંભમાં સતપાલજી આર્ય દીપકભાઇ નાંઢા અને વિજયભાઇ ચૌહાણ, જગદીશભાઇ મકવાણા, ધીરૂભાઇ ભટ, નરેન્દ્રભાઇ મહેતા રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય માધ્યમીક તથા ઉચ્ચતર માધ્યમીક વિભાગના આચાર્ય પ્રફુલ્લાબેન રૂપડીયા, શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય પ્રાથમીક વિભાગના આચાર્ય ભાનુબેન કાલરીયા હાજર રહયા હતા. આ સમારોહના અધ્યક્ષ દિપકભાઇ ઠકકર દ્વારા અધ્ક્ષીય ઉદબોધન કરવામાં આવ્યું હતુ. શ્રેણી - ૧રની વિદ્યાર્થીનીઓને શુભેચ્છા પ્રતિક તરીકે બોલપેન કરવામાં આવેલ આભારદર્શન મીન્ટુબેન ચોવટીયાએ કરેલ હતુ.