અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેતપુર શાખા દ્વારા પુલવામાના શહીદ જવાનોને શ્રદ્ઘાંજલિ
નવાગઢ, તા.૧૫: આજથી બારબાર એક વર્ષ પહેલા દેશમાં જયારે લોકો વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગર જઈ રહેલા સી.આર.પી.એફના જવાનો ઉપર પુલવામાં ની અંદર જે કાયરતા પૂર્વક આતંકી ઓ એ જે હુમલો કર્યો હતો. તેમા સી.આર.પી.એફના ૪૦ જેટલા જવાનો શહીદ થયા હતા. શહીદ જવાનોની પ્રથમ વાર્ષિક પુણ્યતીથી નીમીતે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેતપુર શાખાના જી.કે & સી.કે બોસમીયા કોલેજ જેતપુર ખાતે શ્રધ્ધાંજલીનો કાર્યક્રમ રાખેલ હતો. જેમાં શહીદોને યાદ કરી શ્રધ્ધાંજલી આપવામાં આવી આજના યુવાનો તથા કોલેજના વિદ્યાર્થીઓ શહીદોને યાદ કરી મૌન રાખ્યું અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ઘાંજલિ આપવામાં આવી આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય શ્રી ચોચા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકર્તા દ્વારા પુલવામા માં બનેલી ઘટના અંગેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.