સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th February 2020

ટંકારામાં શહીદ ભગતસિંહ સાયકલ યાત્રાનું સ્વાગત

ટંકારાઃ ભગતસિંહ કાંતીદળ પ્રાયોજીત શહીદ ભગતસિંહ સાયકલ યાત્રાનું સ્વાગત કરાયેલ. શહીદ ભગતસિંહનો સંદેશ લોકોને આપવા તેમજ દીલ્હીમાં ભગતસિંહનું સ્મારક તેમજ ભગતસિંહને ભારતરત્ન એવોર્ડ આપવા સહીતના અનેક ઉદેશો સાથે સાયકલ યાત્રા તા.૩-ર-ર૦ર૦થી સોમનાથથી તા. ર૩-૩-ર૦ર૦ નવી દિલ્હી સુધી યોજાયેલ છે.  ટંકારા સાયકલ યાત્રાનું આર્યમ વિદ્યાલય ખાતે સ્વાગત કરાયેલ. ટંકારામાં સાયકલ યાત્રીકોને કુમકુમ તિલક કરી કિશોરભાઇ પંડયા દ્વારા સ્વાગત કરાયેલ. સ્વાગત આચાર્યશ્રી રામદેવજી ભગવાનજીભાઇ કે.પટેલ, કાંતીભાઇ પટેલ, દેવજીભાઇ પડસુંબીયા, રાકેશભાઇ સંઘાણી દ્વારા સ્વાગત કરાયેલ. મહેશભાઇ લાધવા સાયકલ યાત્રા સાથે જીગ્નેશ કાલાવડીયા જોડાયેલ છે. સાયકલ યાત્રા ટંકારામાં ઠેર-ઠેર ફરેલ. ટંકારાના લોકો દ્વારા ઠેર-ઠેર સ્વાગત કરાયેલ. શ્રી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ ખાતે રાત્રી રોકાણ કરી સાયકલ યાત્રીકો મોરબી જશે.

(12:57 pm IST)