સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th February 2020

ભાવનગરમાં સ્કૂલ બસે વધુ એક છાત્રાનો ભોગ લીધો 7 વર્ષની માસુમ બાળા વહીલમાં ચગદાઈ જતા મોત

વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો : સનો ચાલક નશાની હાલતમા હોવાનો આક્ષેપ

 

ભાવનગરમાં વધુ એક વિદ્યાર્થીનીનું સ્કૂલ બસના કારણે મોત થયું છે. ચિત્રા સ્વામિનારાયણ ગુરુકુલની વિદ્યાર્થીની બસમાંથી નીચે ઉતરી રહી હતી તે દરમિયાન બસના પાછળના વ્હીલમાં આવી જતા વિદ્યાર્થીનું કમકમાટીભર્યું મોત થયું છે.

 ફુલસર ઓદરકા ગામની અને ધો.2માં અભ્યાસ કરતી 7 વર્ષની વિદ્યાર્થીની બસના ટાયરમાં આવી જતા મોત થયું છે. ઘટનાની જાણ થતા વાલી શાળાએ આવી પહોંચ્યા હતા અને બાળકીના મોતને પગલે બૂમરાળ મચાવી દીધી હતી અને બસનો ચાલક નશાની હાલતમા હોવાનો આક્ષેપ કર્યો હતો. બસ ચાલકની બેદરકારીના કારણે વિદ્યાર્થીનીનું મોત થયાનો વાલીએ આક્ષેપ કર્યો

(11:29 pm IST)