સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th February 2018

જામનગરમા શોર્ટ સર્કિટથી વકિલની ઓફિસમાં આગઃ એડવોકેટ રમેશ શ્રીમાળી અને તેના મહિલા અસીલ દાઝી જતા સારવારમાં

જામનગરઃ આર્ય સમાજની સામે આજે વકિલની ઓફિસમા આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગર આર્યસમાજ સામે આવેલ ચેતન્ય કોમ્પલેક્ષના ત્રીજા માળે ઓફિસ ધરાવતા એડવોકેટ રમેશભાઇ શ્રીમાળીની ઓફિસમાં શોટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી. આ આગમા ઓફિસના દસ્તાવેજ, ફર્નિચર સહિતના જથ્થો ભસ્મીભૂત થઇ ગયો હતો.

આ આગથી એડવોકેટ રમેશભાઇ બી.શ્રીમાળી અને તેના અસીલ દડિયા ગામના એક મહિલા દાઝી જતા સારવારમાં જી.જી.હોસ્પિટલમાં ખસેડેલ છે.

આર્ય સમાજ સામેના આ કોમ્પલેક્ષમા આગ લાગી હતી. અને ફાયરબ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. એડવોકેટની ઓફિસના ત્રીજા માળે આગથી આ વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી.

(8:20 pm IST)