મોરબીમાં કેનાલમાં ડૂબી જતા મંજૂબેન હડીયલનું મોત
મોરબી તા. ૧૫ : મોરબીના પંચાસર રોડ પરના વાડી વિસ્તારના રહેવાસી એક મહિલા પંચાસર રોડ નજીક અકસ્માતે કેનાલમાં પડી જતા તણાઈને છેક વાવડી સુધી પહોંચી હતી અને ફાયરની ટીમની મદદથી મહિલાને બહાર કાઢવામાં આવી હતી જોકે ત્યાં સુધીમાં આધેડ વયની મહિલાના પ્રાણ ઉડી ગયા હતા.
મોરબીના પંચાસર રોડ પર ભીલાની વાડીના રહેવાસી સતવારા મંજુબેન નાનજીભાઈ હડીયલ (ઉ.વ.૫૩) નામની મહિલા આજે વાડીમાં કામ કરતા હોય જે દરમિયાન અકસ્માતે પગ લપસી જતા તે કેનાલમાં પડી ગયા હતા. અને કેનાલમાં મહિલા લગભગ અડધાથી પોણો કિલોમીટર સુધી તણાઈ હતી મોરબી ફાયરની ટીમના તરવૈયાઓની ટીમ દોડીને રેસ્કયુ ઓપરેશન ચલાવ્યું હતું પણ મહિલાનું મોત થઇ ગયું હતું અને મૃતદેહ જ હાથ લાગ્યો હતો. મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે એ ડીવીઝન પોલીસના સુત્રોએ જણાવ્યું હતું ે જેને પરિવારમાં ૭ દીકરી અને એક દીકરો હોવાનું જાણવા મળ્યું છે .