સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th February 2018

પોરબંદર હરિ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી

જૂનાગઢઃ પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સ્થાપિત સાંદીપનિ શ્રી હરિ મંદિરમાં મહાશિવરાત્રી ઉત્સવ ઉજવાયો હતો. યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરૂદ્ર તેમજ શ્રી હરિમંદિરમાં ચન્દ્રમૌલેશ્વર મહાદેવને લઘુરૂદ્રાભિષેક ઋષિકુમારો દ્વારા કરવામાં આવ્યો હતો. દ્વાદશજ્યોતિર્લીંગનાં દર્શન તેમજ ભગવાન શ્રી ચન્દ્રમૌલીશ્વર મહાદેવને પુષ્પશ્રૃંગારના દર્શન થયા હતા. રાત્રે ૧૨ વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી. ઋષિકુમારો દ્વારા લઘુરૂદ્રાભિષેક કરવામાં આવ્યો હતો. પૂજય ભાઈશ્રી ૨૭ વર્ષથી વારાણસી સ્થિત કાશીમાં શિવરાત્રી અનુષ્ઠાન કરે છે ત્યાંથી તેઓએ મહાશિવરાત્રી ઉત્સવની પ્રસન્નતા વ્યકત કરી શુભેચ્છા પાઠવેલ. લઘુરૂદ્રાભિષેક કરવામાં આવ્યો તે તસ્વીર

(11:22 am IST)