ટંકારામાં નેકનામમાં જૂના મનદુઃખનો ખાર રાખી દલીત દંપતિ અને પુત્ર પર હૂમલો
મોરબી ત્રાજપર ચોકડીએ ડમ્પર હડફેટે બાઇક ચાલકને ફ્રેકચર
મોરબી તા. ૧પ :.. ટંકારાના નેકનામમાં જૂના મનદુઃખનો ખાર રાખી દલીત દંપતિ અને તેના પુત્ર પર ત્રણ શખ્સોએ હૂમલો કર્યો હતો.
મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના નેકનામ ગામે રામ મંદિર પાસે રહેતા ફરીયાદી વિજયાબેન માવજી કરશનભાઇ જાદવ -દલિત (ઉ.૪૪) એ નેકનામ ગામે જ રહેતા આરોપીઓ અશોક મોહન જાદવ, હસમુખ ઉર્ફે દિગો અશોક જાદવ તેમજ રસીક અશોક જાદવ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ જૂના મનદુઃખનો ખાર રાખી હસમુખ અને રસીકે તેમના પતિ માવજીભાઇને બોલાચાલી કરી, ફરીનો દિકરો જે દૂધ લેવા ગયેલ ત્યાં ઘસી ગયા હતા અને પોતે તેમના પતિ અને પુત્ર પણ ત્યાં જતાં તેમને આરોપીઓએ ગાળો દઇ, ઢીકાપાટુનો માર મારી જાહેરમાં લગાવવામાં આવેલ સીસી ટીવી કેમેરામાં નુકશાન કર્યુ હતું.
અન્ય એક બનાવમાં મોરબીની ત્રાજપર ચોકડી પાસે મો. સા. નં. જીજે-૦૩-ઇએમ-ર૦૧૯ પર જઇ રહેલા બકુલ મનુભાઇ વાઘેલાને ડમ્પર નં. જીજે-૦૩-એ. ટી. ૪૦૦૭ ના ચાલકે હડફેટે લેતા તેને ડાબા પગે પંજાના ભાગે ફ્રેકચર જેવી ઇજાઓ થઇ હતી.