ગોંડલ પાસેના દાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીએ લઘુરૂદ્ર - ધ્વજા રોહણ
રાજકોટ : ગોંડલ તાલુકાના રીબડા નજીક દાળીયા ગામે આવેલ શ્રી દાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ધામધુમથી ઉજવણી કરાઇ હતી. સવારે લઘુરૂદ્ર અભિષેક બાદમાં ધ્વજારોહણ અને બપોરે બ્રહ્મભોજન માટે વ્યવસ્થા કરાઇ હતી. આ પ્રસંગે રાજકોટ પી.ડી.યુ. સરકારી હોસ્પિટલ અધિક્ષક ડો. મનીષ મહેતા (મો.૯૮૨૫૯ ૩૫૪૬૫) સહીત ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજન ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ, દાળેશ્વર સેવા મંડળ ટ્રસ્ટના નેજા હેઠળ પ્રમુખ અનંતભાઇ ભટ્ટ, પ્રફુલભાઇ જોષી, જયંતભાઇ ઠાકર, જયેશભાઇ રાવલ, રઘુભાઇ દવે, હરેશભાઇ ઠાકર, સમસ્ત ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજ (સેન્ટ્રલ ઝોન) પૂર્વ પ્રમુખ કિશોરભાઇ ભટ્ટ દ્વારા કરાયુ હતુ. ધાર્મિક ઉત્સવમાં સરપંચ સહીત ગ્રામજનો પણ સહયોગી બન્યા હતા. સૌએ સાથે મળી ફરાળી પ્રસાદ ગ્રહણ કર્યો હતો.