સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

શિક્ષણ વિભાગ દ્વારા વાસી ઉત્તરાયણની રજા હોવા છતાં પણ જામનગર ની રાધિકા સ્કૂલ માં 10માં ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે બોલાવાયા : એબીવીપી દ્વારા હોબાળો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર::જામનગરમાં એબીવીપી દ્વારા શનિવારે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વાસી ઉત્તરાયણની રજા જાહેર કર્યા હોવા છતાં પણ રાધિકા સ્કૂલ માં 10માં ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે બોલાવાયા હતા. 

જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ પહોંચી શાળાના ચાલુ વર્ગખંડમાં શિક્ષકને માસ્ક વગર અને વિદ્યાર્થીઓને પણ શોષ્યલ ડિસ્ટન્સ વગર ભણાવતા હોવાનું સામે આવતા હોબાળો મચાવ્યો હતો. 

 આ વેળાએ રાધિકા સ્કૂલના શિક્ષકો અને સ્ટાફ દ્વારા મીડિયા સાથે પણ જીભાજોડી કરી પોતાની ગંભીર ભૂલો પર પડદો પાડવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તસવીરો : કિંજલ કારસરીયા,જામનગર

(12:38 pm IST)